કોરોના જેવા અનેક જીવલેણ વાયરસ માનવજાતને ભરડામાં લેવા તૈયાર બેઠા છે!

ચીનના વુહાનથી નીકળેલા ઘાતક કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 56 લાખ જેટલા લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી લગભગ સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ ચીનમાં ચામાચિડિયા પર રિસર્ચ કરવા માટે મશહૂર એક મહિલા વાયરોલોજિસ્ટનું કહેવું છે કે કોરોના વાયરસ તો હજુ માત્ર ઝાંખી છે. અસલી તસવીર હજુ આવવાની બાકી છે. તેનું કહેવું છે કે ચામાચિડિયામાં કોરોના જેવા અનેક ખતરનાક વાયરસ રહેલા છે. 

કોરોના જેવા અનેક જીવલેણ વાયરસ માનવજાતને ભરડામાં લેવા તૈયાર બેઠા છે!

બેઈજિંગ: ચીનના વુહાનથી નીકળેલા ઘાતક કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 56 લાખ જેટલા લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી લગભગ સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ ચીનમાં ચામાચિડિયા પર રિસર્ચ કરવા માટે મશહૂર એક મહિલા વાયરોલોજિસ્ટનું કહેવું છે કે કોરોના વાયરસ તો હજુ માત્ર ઝાંખી છે. અસલી તસવીર હજુ આવવાની બાકી છે. તેનું કહેવું છે કે ચામાચિડિયામાં કોરોના જેવા અનેક ખતરનાક વાયરસ રહેલા છે. 

ચીનના 'બેટવુમન' નામથી જાણીતા વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ડેપ્યુટી ડિરેક્ટર શી ઝેંગલીએ કહ્યું કે ચામાચિડિયા જેવા જંગલી જાનવરોમાં કોરોના જેવા અનેક ખતરનાક વાયરસ રહેલા છે અને જો સમયસર તેની ભાળ ન મેળવી તો આવનારા દિવસોમાં દુનિયાએ આવી અનેક પ્રકારની મહામારીઓનો સામનો કરવો પડી શકે છે. વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ જ લેબ છે જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનું કહેવાય છે. 

કોરોનાથી પણ ખતરનાક વાયરસ
ઝેંગલીએ કહ્યું કે વાયરસો અંગે થઈ રહેલા રિસર્ચ અંગે સરકારો અને વૈજ્ઞાનિકોએ પારદર્શક વલણ અપનાવવાની જરૂર છે. ચીન પર કોરોના વાયરસ અંગે સમયસર દુનિયાને યોગ્ય માહિતી ન પહોંચાડવાના આરોપ લાગી રહ્યાં છે. પરંતુ ઝેંગલીએ કહ્યું કે વિજ્ઞાનનું રાજનીતિકરણ દુ:ખદ છે. 

તેમણે ચીનની સરકારી ચેનલ સીસીટીએન સાથે વાતચીતમાં કહ્યું કે આપણે માનવતાને આગામી મહામારીથી બચાવવી હોય તો આપણે જંગલી જાનવરોમાં મળી આવતા અજાણ્યા વાયરસો પર રિસર્ચ કરવું જોઈએ અને તેમના અંગે આગોતરા ચેતવણી આપવી જોઈએ. જો આપણે તેના વિશે નહીં જાણીએ તો આનાથી પણ વધુ મોટો રોગચાળો ફેલાઈ શકે છે. તેમણે કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે સમગ્ર દુનિયાએ મળીને કામ કરવાની જરૂર છે. 

જુઓ LIVE TV

લેબથી નથી ફેલાયો કોરોના, ઝેંગલીએ કર્યો બચાવ
કોરોનાને લઈને ચીન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં ખટાશ પેદા થઈ છે. અમેરિકાનો આરોપ છે કે કોરોના વુહાન લેબમાંથી ફેલાયો હતો અને ચીને શરૂઆતમાં તેને છૂપાવવાની કોશિશ કરી હતી. પરંતુ ચીને આ આરોપો ફગાવ્યાં છે. ઝેંગલીએ અમેરિકાના આરોપો ફગાવ્યાં અને કહ્યું કે જે વાયરસો પર તે કામ કરે છે તેમના જેનેટિક્સ કોરોના વાયરસ સાથે મેળ ખાતા નથી. 

ઝેંગલીએ 2004માં વાયરસો પર રિસર્ચ શરૂ કર્યું હતું અને તે સમયે સાર્સે કેર વર્તાવ્યો હતો. ત્યારથી તેમણે તમામ પ્રકારના ચામાચિડિયા પર રિસર્ચ કર્યું છે. 2013માં તેમને સફળતા મળી અને જાણવા મળ્યું કે ચામાચિડિયાનું મળ 96.2 ટકા સાર્સ સીઓવી-2ની જેમ હોય છે. 2015માં તેમણે પોતાના રિસર્ચમાં જાણ્યું હતું કે સાર્સ જેવા વાયરસ ચામાચિડિયામાંથી માણસોમાં આવી શકે છે. 

હવે બેટવુમનની આ વાત પર કેટલો વિશ્વાસ કરવો કે ચીનના વુહાનની લેબમાંથી કોરોના વાયરસ દુનિયામાં ફેલાયો નથી. અમેરિકા તો છાતી ઠોંકીને કહે છે કે લેબમાંથી જ વાયરસ નીકળ્યો છે. આ સિવાય અન્ય દેશો પણ આ વાત પર અમેરિકાને સમર્થન આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news